મોરબી : સાસંદ વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો

લોકસભા ચુંટણી – ૨૦૨૪ નું પરિણામ જાહેર થતા ભા.જ.પા. નાં ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્ત સાંસદ વિનોદભાઈ ચાવડા એ મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા તા.૧૩-૦૬-૨૦૨૪, ગુરુવારના પ્રવાસ દરમ્યાન મોરબી વિધાનસભાના મતવિસ્તારની મુલાકાત લઇ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય સાથે વધુ લીડ અપાવવા બદલ સર્વે મતદાતાઓ, ચુંટણીમાં સખત મહેનત કરનાર ભા.જ.પા. ના સૌ કાર્યકર મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રવાસ દરમ્યાન મોરબી જીલ્લા ભા.જ.પા પ્રમુખ રણછોડભાઇ દલવાડી, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,  પાર્ટી આગેવાનઓ, જીલ્લા પંચાયત – તાલુકા પંચાયત – નગરપાલિકાના સદસ્યઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.