મોરબી : રામધન આશ્રમ ખાતે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

મોરબીમાં સામાકાંઠે ગોપાલ સોસાયટીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર દ્વારા રામધન આશ્રમમાં તારીખ ૧૬,જુન ૨૦૨૪,રવિવાર ના રોજ નિ:શુલ્ક ફિઝિયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત) માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.

નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે.
૧) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).
૨) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે
૩) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ
૪) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.
૫) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો
૬) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ
૭) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે
૮) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ.
૯) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર

તારીખ:-૧૬,જુન ૨૦૨૪,રવિવાર, સમય :-સવારે ૯:૩૦ થી ૧૨:૦૦, સ્થળ :-રામધન આશ્રમ, સામાકાંઠે, મોરબી
નોંધ : આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૮૧૬૦૨૮૨૪૫૬ નંબર પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.
(જુના રીપોર્ટસ સાથે લાવવા)
કાયમી સરનામું : બ્રાંચ ૧:સંસ્કારધામ ઈમેજીંગ સેન્ટર(બીજો માળ), જી.આઈ.ડી.સી.શનાળા રોડ,મોરબી.
બ્રાંચ ૨ :વીએનસી કોમ્પલેક્ષ, શોપ ૨૦૮/૯, ગોપાલ સોસાયટી, મહારાણા પ્રતાપ રોડ,સામાકાંઠે, મોરબી મો. ૮૧૬૦૨૮૨૪૫૬.