મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગત મિત્રને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરા નું તાજેતર માં અકસ્માત માં દુઃખદ અવસાન થતા તેમના મિત્રો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.

આ તકે સદ્ગત ના મિત્રોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.