મોરબી : પીપળી ગામ ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઈ

ભારત પેટ્રોલિયમ દ્વારા આયોજિત સ્વચ્છતા પખવાડા અભિયાન પીપળી ગામ માં કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યા માં ગ્રામજનો તેમજ સરપંચ અને તલાટી મંત્રી પણ હાજર રહ્યા હતા ૧૬૦ થી વધુ લોકો હાજર રહ્યા અને વૃક્ષરોપણ કરવામાં આવ્યું સાથે મહાદેવ નાં મંદિર માં સાફ સફાઈ કરી હતી

તેમજ આવનાર દરેક ગ્રામજનોને ભારત પેટ્રોલિયમ તરફથી ટીશર્ટ ટોપી અને બેગ આપીને બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યમાં જયદીપભાઇ પારઘી તરફથી ખૂબ જ મહેનત કરવામાં આવી હતી