મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૨૯/૦૯/ ૨૦૨૪ ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ધોરણ નવ અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.  પ્રમુખશ્રી જયેશભાઈ કોટેચા ના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૯/૦૯/૨૦૨૪ રાખવામાં આવેલ છે.
ફોર્મ મેળવવા તથા પરત આપવા માટેના સ્થળો
(૧)મનોજ ઝેરોક્ષ –  કુબેરનાથ મંદિર વાળી શેરી, મોરબી.- મો. ૯૮૯૮૨ ૨૦૪૭૬
(૨)દરીયાલાલ આલુ ભંડાર – નવાડેલા, રોડ મોરબી.- મો. ૯૮૯૮૧ ૧૪૩૪૮
(૩)કેવિન ગેસ એજન્સી – નવા બસસ્ટેશન ની સામે,મોરબી–મો. ૯૮૭૯૮ ૩૪૦૩૪
નો સંપર્ક કરવો.
આ સન્માન સમારો તારીખ ૨૯/૦૯/૨૦૨૪  ને રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામાં આવશે. તથા વધુ માહિતી માટે પ્રમુખ જયેશભાઈ કોટેચા તથા પ્રોજેક્ટ ચેરમેન વિરેનભાઈ પૂજારાનો સંપર્ક કરવો તેવી શ્રી રઘવંશી યુવક મંડળની યાદી જણાવે છે.