મોરબી : નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ વધે, વિજ્ઞાન પ્રત્યે રસ -રુચિ વધે, અંધશ્રદ્ધા દૂર થાય તેમજ બાળકો જાતે જ વિજ્ઞાનનાપ્રયોગો કરતા થાય.તેવા આશય સાથે શાળાના આચાર્યશ્રી હરેશભાઈગોહેલની પ્રેરણા અને વિજ્ઞાન શિક્ષકશ્રીમનહરલાલદેસાઈના માર્ગદર્શન હેઠળ મોરબીતાલુકાનીનાનીવાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2024 યોજવામાં આવ્યું હતું.

જેમાં ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા સ્માર્ટ સીટી, ગ્રીનહાઉસ, સોલાર ગામ, ચંદ્ર્યાન મોડેલ, હિટ સેન્સર, ઔષધિય વનસ્પતિઓ, દેશી કૂલર, જવાળામુખી, જાદુઈ કલા, એસિડ-બેઇઝનાપ્રયોગો, પવનચક્કી, વોટર ફિલ્ટર, ચુંબક કાર, અન્ડરગ્રાઉન્ડ રોડ, ગાણિતિક સૂત્ર અને ગાણીતિકકોયડાઓ જેવા વિવિધ પ્રકારના 25 જેટલા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોનેસમજાવતીકૃતિઓ રજુ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા આ વિવિધ પ્રકારના મોડલોને કુમાર પ્રા.શાળા, કન્યા પ્રા. શાળા તથા માધ્યમિક શાળાના બાળકો તેમજ વાલીઓએ પણ આ પ્રદર્શનનેનિહાળ્યું હતું, તથા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા શાળા સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. નિર્ણાયક તરીકે શાળાના ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક અશોકભાઈ કાંજીયાએ જવાબદારી નિભાવી હતી.