મોરબીમાં ભારે વરસાદ વચ્ચે સેવાની સરવાણી વહાવતું જય અંબે ગ્રુપ 

મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હરહંમેશ ની જેમ આજે પણ મોરબીમાં અતિવૃષ્ટિ ના દિવસોમાં સ્થળાંતરીત કરેલ લોકો માં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરેલ તથા જ્યાં સુધી કુદરતનો આ કહેર બંધ ના થઈ ત્યાં સુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યો ના સુવે તેના સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબી માં જય અંબે સેવા ગ્રૂપ નું રસોડું ચાલુ કરેલ છે.