મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા રાહત રસોડું શરુ કરાયું

મોરબી માં ભારે વરસાદ ના કારણે તારાજી સરજાયી છે ત્યારે વધુ વરસાદ ના કારણે મોરબી ના ડેમ ના ૩૦ જેટલા પાટીયા ખોલવા મા આવતા નીચાણવાળા વિસ્તાર ના લોકો ને સરકાર દ્રારા સ્થળાંતર કરવા માં આવેલ છે ત્યારે સ્થળાંતર કરેલા લોકો ને જમવાનું અને સવારે નાસ્તા માટે નાં ફુડપેકેટ આપવા માટે રાહત નું રસોડું ચાલું કરી દેવામાં આવ્યું છે.

ઈન્ડીયન લાયન્સ ક્લબ નાં પ્રમુખ રુચિરભાઈ કારીયા એ માહીતી આપતાં જણાવ્યું છે કે આ રસોડું અમે અમારા ધરે જ ચાલુ કરેલ છે અને તંત્ર ની સુચના મુજબ જ અથવા તંત્રે ને જ રાહત માટેના ફુડ પેકેટ આપશે જેથી કરી યોગ્ય જરુરીયાત વાળા લોકો ને સીધા જ આ ફુડ પેકેટ મળી રહે અને ક્યા વિસ્તાર મા જમાડવાં જાવ તે પણ તંત્ર ની સુચના મુજબ જ જમાડવા જશે વધુ આગામી દીવસો મા જ્યાં જ્યાં જરુર જણાય ત્યાં ફુડ પેકેટ અને જમવાનું પહોંચાડવા મોરબી ઈન્યન લાયન્સ ક્લબ હર હમેશાં તૈયાર છે.