ઢવાણા ગામે નદી પાર કરતાં બનેલી દુર્ઘટનામાં 7 મૃતદેહ મળ્યા – 1 હજુ લાપતા

વિશાલ જયસ્વાલ : હળવદના ઢવાણા ગામે રવિવારે રાત્રીના સમયે નદીમાં ટ્રેકટર પલ્ટી ખાઈ ગયા બાદ 17 લોકો તણાયા હતા જેમાંથી 9 લોકોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને 8 લાપતા બન્યાં હતા

જેમાં અત્યાર સુધીમાં કુલ 7 મૃતદેહ મળી આવ્યા છે અશ્વિનભાઈ રાઠોડ,વિજય ભાઈ બારોટ , રામદેવભાઈ પ્રવીણભાઈ મકવાણા, જાનકીબેન, રાજુબેન, ગીતાબેન, આશિષભાઈ બારોટ સહિતના 7 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે એક જીનલબેનના મૃતદેહની હજુ પણ શોધખોળ ચાલી રહી છે એનડીઆરએફ, ફાયર, પોલીસ ,મામલતદાર,તાલુકા પંચાયતની ટીમ સહિતનું તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે.