મોરબી : તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા વિધ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

લાલપર પ્રા. આ. કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર (નદી) બી. એડ. કોલેજ ખાતે વિધ્યાર્થી ઓમાં તમાકુ ના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા તથા પ્રશ્ર્નોતર નું આયોજન કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધા માં ૧૦૭ વિધ્યાર્થી ઓએ ભાગ લીધો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી. મહેતા તથા ડો. દિપક બાવરવા (EMO) ની સૂચના થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર માં મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ લાલપર આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર (MPHS) દીપકભાઈ વ્યાસ તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર (નદી) ના કોમ્યૂનિટી હેલ્થ ઓફિસર સૈયદ મકસુદભાઈ એમ. , FHW સાહિસતાબેન ડેકાવડિયા, MPHW તોફિકભાઇ બેલીમ તથા પ્રિન્સિપલ અશ્વિન એચ. બરાસરા તથા શિક્ષકો દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવેલ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પોત્સાહક ઈનામ આપવામાં આવેલ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રશ્નોતરી ના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરેલ.

વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા તથા
મારું ઘર તમાકુ મુક્ત
મારું ગામ તમાકુ મુક્ત
મારું શહેર તમાકુ મુક્ત
મારો જિલ્લો તમાકુ મુક્ત
મારું રાજ્ય તમાકુ મુક્ત
સ્લોગન રાખવા મા આવ્યુ હતુ તથા પાન્ડું રોગ( એનિમિયા) વિષે તથા પોષાક આહાર લેવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો