સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; પૂર્વ સૈનિકોના સંતાનોને પ્રવશે મળશે

માજી અને પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરત ખાતે ગૌરવ સેનાની ભવનમાં નવનિર્મિત સૈનિક કુમાર છાત્રાલય કાર્યરત છે જેમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. માજી અને પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો કે જે સુરત ખાતે આવેલા શૈક્ષણિક સંસ્થાઓમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે સુરત ખાતે ગૌરવ સેનાની ભવન ખાતે નવનિર્મિત સૈનિક કુમાર છાત્રાલય કાર્યરત છે.

આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા કુમાર અને તેમના માતા-પિતાએ સુરત કચેરીનો રુબરુ સંપર્ક કરી નમૂના મુજબનું પ્રવેશ ફોર્મ મેળવી સત્વરે જમા કરાવવા. વધુ વિગત માટે ટેલિફોન નંબર (૦૨૬૧) ૨૯૧૩૮૨૦ અને ૯૪૨૬૮ ૦૨૮૨૦ પર સંપર્ક સાધવા રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.