મોરબી સંગમ યુવા ગ્રુપ દ્વારા પ્રથમ વર્ષ માતાના મઢ કચ્છ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાશે

માં આધશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિત્તે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજી ના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય જેથી લોકો દુર દુરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાજીના દરબારમાં શીશ ઝુકાવા જાય છે ત્યારે પદયાત્રી સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ 24/9/2024 થી ઉમા રિસોર્ટ ની બાજુમાં,જુના RTO ની સામે, મોરબી ખાતે શુભારંભ થશે.

જેમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, સરબત, નાસ્તો, રહેવા, મેડિકલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો લાભ લેવા સંગમ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓને વિનંતી કરી છી.વધુ માહિતી માટે 8306914014, 96875 35939, 99255 65508