મોરબી સહીતની સંસ્થાઓ દ્વારા રઘુવંશી મહાસંમેલન માં બહોળી સંખ્યામાં જોડાવવા સમાજ ને આહવાન

વિરપુર (જલારામ ધામ) ખાતે તા.૨૯-૯ ના રોજ યોજનાર રઘુવંશી મહાસંમેલન માં મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે.

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા વિરપુર (જલારામ ધામ) ખાતે આગામી તા.૨૯-૯-૨૦૨૪ રવિવાર ના રોજ સંસ્થા ના નવનિર્વાચિત અધ્યક્ષ શ્રી જીતુભાઈ લાલ નો પદગ્રહણ સમારોહ ઉપરાંત રઘુવંશી સમાજ ના મહાસંમેલન નું અનેરુ આયોજન કરવામાં આવેલ છે, ત્યારે શ્રી લોહાણા મહાજન-મોરબી,શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્ર્સ્ટ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી સહીત ની લોહાણા સમાજ ની સંસ્થા દ્વારા આ મહાસંમેલન માં જોડાવવા સમસ્ત લોહાણા સમાજ ને અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી તા.૨૯-૯ રવિવાર ના રોજ બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા મહાસંમેલન માં જવા પ્રસ્થાન કરવામાં આવશે. શ્રી લોહાણા મહાજન-મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા મહાસંમેલન માં જવા માટે બસ ની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે. વ્યવસ્થા ના ભાગરૂપે અગાઉ થી નામ નોંધાવવું આવશ્યક હોય નામ નોંધાવવા માટે નરેન્દ્રભાઈ રાચ્છ(મંત્રી-શ્રી લોહાણા મહાજન-મોરબી) મો.૯૯૨૫૯ ૮૫૩૯૪ તથા કીશોરભાઈ ઘેલાણી મો.૯૪૨૮૨ ૮૦૧૭૦ નો સંપર્ક કરવો તથા જે લોકો પર્સનલ કાર થી મહાસંમેલન માં જોડાવવા ના હોય તેમણે પ્રતાપભાઈ ચગ મો.૯૮૨૫૮૨૭૭૭૦, પારસભાઈ ચગ મો.૯૦૩૩૦૦૭૮૯૦ તથા શ્રી સચિનભાઈ કાનાબાર મો. ૯૭૨૬૧૨૨૦૦૯ પર સંપર્ક કરવા શ્રી લોહાણા મહાજન-મોરબી ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ યાદીમાં જણાવ્યુ છે.