મોરબી : આહીર સમાજ નવરાત્રી મહોત્સવનું યોજાશે

તા.૦૩/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી ભગવાન શ્રી કૃષ્ણના અધ્યક્ષ સ્થાને દ્વારકાધીશની સાક્ષી એ આહીર સેના ગુજરાત ના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત ફક્ત આહીર સમાજ માટે શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આયોજનનું સ્થળ બહુચર પાર્ટી પ્લોટ નવલખી રોડ મોરબી રહેશે. આહીર સમાજના પ્રખ્યાત કલાકારો આ નવરાત્રી મહોત્સવમાં પધારશે. આ તકે સમસ્ત આહીર સમાજને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.તેમજ રાસ રમવા માટે એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી.આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.