મોરબીમાં કેશર ફીઝીયોથેરાપી ક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં આજે કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ રામધન આશ્રમ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કેશર ફીઝીયોથેરાપી ક્લિનિકના ડો.મિતલ રૈયાણી અને પ્રિયા પટેલે સેવા આપી હતી. કેમ્પમાં 30 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.