વાંકાનેરમાં વિકાસ સપ્તા અંતર્ગત કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાશે

મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩ ઓક્ટોબર ના રોજ બપોરે ૧૫:૦૦ કલાકે ગ્રાહકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ યોજાનાર છે આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવાના છે.