ભીમસર ખાતે હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ

તા.૧૭/૧૦/૨૦૨૪ ના રોજ વાલ્મીકિ જયંતિ ના પાવન અવસરે ભીમસર મુકામે હનુમાન ચાલીસા પઠન કેન્દ્ર નો શુભારંભ પશ્ચિમ ક્ષેત્ર ના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆના વરદ હસ્તે કરવામાં આવ્યો.

આ પાવન અને દિવ્ય પ્રસંગ લાલબાગ ઉપનગર સેવાવિભાગ/સામાજિક સમરસતા મંચ દ્વારા વાલ્મીકિ સમાજ ના ભાઈઓ..બહેનો ની ઉપસ્થિતિ માં યોજાયો… આ પ્રસંગે ભાડેસિઆ સાહેબે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું,વાલ્મીકિ પૂજન કર્યું હતું અને કુમકુમ તિલક તથા ઢોલ /ત્રાંસા દ્વારા સ્વાગત કરવામાં આવેલ.

આ સુંદર કાર્યક્રમ ની સફળતા માટે લાલજીભાઈ કુનપરા,રાજુભાઈ વિરમગામા,દિનેશ ભાઈ વિડજા વિ.કાર્યકર્તા ઓ એ જહેમત ઉઠાવી હતી આગામી દિવસો માં આ વિસ્તાર માં એક સંસ્કાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે.

જે અંગે લલિતભાઈ પાંડે,વસંતભાઈ આહીર,જીતુભાઈ પરમાર,બકુલ ભાઈ,મહેન્દ્રભાઈ વિ.કાર્યકર્તા ઓ કૃત નિશ્ચયી છે. આ પ્રસંગે ભીમસર ના અગ્રણીઓ મહેશભાઈ પરમાર,વિપુલભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.