ટંકારામાં દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્રનું લોકાર્પણ

મોરબી જિલ્લા ના ટંકારા મુકામે તાજેતર માં સેવા ભારતી સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્ર નું લોકાર્પણ કરવામાં આવ્યું.

ટંકારા તાલુકા ના જરૂરિયાત મંદ લોકો ને આ નિ:શુલ્ક મેડિકલ સહાય કેન્દ્ર નો બહોળા પ્રમાણ માં લાભ મળશે જરૂરિયાત મંદ લોકો એ ભુપતભાઈ કુકડિયા મો ૯૯૭૯૦૦૦૩૩૪ તથા દીપકભાઈ વાઢેર મો.૯૯૭૯૦૭૪૪૭૩ પર સંપર્ક કરવો

આ મેડિકલ સહાય કેન્દ્ર ની સફળતા માટે પ્રાંત સહ સેવા પ્રમુખ હસમુખભાઇ પટેલ, લાલજીભાઈ કુન પરા, સતીષભાઈ પટેલ,જીતુભાઈ લીખિયા તથા પરેશ ભાઈ ઢેઢી એ જહેમત ઉઠાવી હતી.