જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોરબી દ્વારા આગામી તારીખ ૨૫-૧૦-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઇ. ટી.આઇ. સંસ્થા, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવ પીરના મંદિરની બાજુમાં, ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી હાથ કરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છુક, નોન મેટ્રીક/ એસએસસી/ એચએચસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ, આધારકાર્ડની નકલ, બાયોડાટા વગેરે સાથે સ્વ- ખર્ચે અત્રે જણાવ્યા અનુસાર ભરતીના સ્થળે નિયત સમય અને તારીખના રોજ અચુક ઉપસ્થિત રહેવું.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/ayush-finel-771x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/12/poster-900x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2025/01/KRISHNA-HOSPITAL-780x1024.jpg)
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ અત્રેના કાર્યક્રમમાં હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)