મોરબી નવયુગ સાયન્સ સ્કૂલ-ભાવનગરની જ્ઞાનમંજરી દ્વારા તજજ્ઞ શિક્ષકો માટે સારસ્વત સ્નેહમિલન યોજાયો

મોરબીની નામાંકિત નવયુગ સાયન્સ સ્કૂલ અને ભાવનગરની જ્ઞાનમંજરી દ્વારા ગઈકાલે તજજ્ઞ શિક્ષક મિત્રો માટે સારસ્વત સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોરબીની મોટાભાગની સ્કૂલોના શિક્ષકો તેમજ ક્લાસીસના શિક્ષકો સહર્ષ જોડાઈ ગુજરાતની નંબર વન સંસ્થા જ્ઞાનમંજરીની આખી સિસ્ટમ વિશે વિગતવાર માહિતી મેળવી હતી અને આ જ્ઞાન મંજરીની સિસ્ટમનો લાભ મોરબીના વિદ્યાર્થીઓને પણ કઈ રીતે મળે એ બાબત વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી.