માળીયાના ખાખરેચી ગામે યુવાનનું અગમ્ય કારણોસર મૃત્યું: પોલીસ તપાસ હાથ ધરી

માળિયા તાલુકાના ખાખરેચી ગામે ગઇકાલે યુવાનનું કોઈ અગમ્ય કારણો મૃત્યું નિપજ્યું છે. બેશુદ્ધ હાલતમાં યુવાનને માળિયા હોસ્પિટલ લઈ આવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવની મળતી વિગતો મુજબ માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા મૂળ બોડી તા.નરસિંહગઢ જી.રાજગઢ મધ્યપ્રદેશના વતની કાળુસિંહ બનેસિંહ રાઠોડ (ઉવ.30) નું ગઈકાલ તા.10ના રોજ બેશુદ્ધ હાલતમાં માળીયા(મી) સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપર હાજર ડોકટરે જોઈ તપાસી કાળુસિંહને મૃત જાહેર કરેલ હતા. ત્યારે ડોક્ટર દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ટેલિફોનિક જાણ કરતા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે મૃત્યુના બનાવ મામલે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.