મોરબી આયુષ હોસ્પિટલમાં એન્ડોસ્કોપિક સર્જરીની સફળ સારવાર: 53 વર્ષીય દર્દીને મળી રાહત

મોરબીની આયુષ હોસ્પિટલમાં ચોટીલાના દર્દીનું એક ફેફસુ કામ કરતું ન હોવા છતાં ગાદીની સમસ્યા દૂર કરવાની જટિલ એન્ડોસ્કોપિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.

ચોટીલાના 53 વર્ષના દર્દીને કમરના L4-L5 મણકાની વચ્ચેની ગાદી ખસી જતા, કમરનો સખત દુઃખાવો, જમણી બાજુના પગનો દુઃખાવો, જમણા પગમાં ખાલી ચડી જવી, અને જમણા પગના પંજાની, નબળાઈ (Foot Drop) સહિતની સમસ્યા હતી. જેનાથી દર્દીને ચાલવામાં તકલીફ પડતી હતી. જેમાં દર્દીનું ઓપરેશન કરવું ફરજીયાત હતું. પરંતુ છાતીના એક્સ-રેમાં જોવામાં આવ્યું કે દર્દીનું એક બાજુનું ફેફસું કામ ન કરતુ હોવાથી સંપૂર્ણ બેભાન કરવા અને સી સી સુંઘાડવી શક્ય ન હતી.

આથી મોરબી ખાતેની આયુષ હોસ્પિટલના ન્યૂરોસર્જન ડૉ. પ્રતિક પટેલની સુઝબુઝથી મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. દર્દીની જાગતિ અવસ્થામાં જ માત્ર ઓપરેશન કરવાનો ભાગ ખોટો કરી (Local Anaesthesia) દૂરબીન વડે (endoscopic) ખસેલી ગાદી કાઢી નસ પરનું દબાણ દુર કર્યું,જેથી તરત જ દર્દીને દુખાવા માં રાહત મળી તેમજ પગની નબળાઈ દુર થઇ અને દર્દી તરત જ ચાલવા માંડ્યા હતા. આ સર્જરીના ફાયદા જોઈએ તો 1 cmથી નાનો ચેકો, 24 કલાકમાં રજા અને દુખાવાથી તુરંત રાહત સહિતના ફાયદાઓ છે. તેમ આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવાયુ છે.