સાર્થક વિદ્યા મંદિર ખાતે ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ ( ટીચર્સ ટ્રેનિંગ) યોજાયો

જેમાં વિવિધ વક્તાઓ દ્વારા શાળાના તમામ શિક્ષકોને જરૂરી માર્ગદર્શન તેમજ બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શિક્ષણ પદ્ધતિઓ સમજાવી હતી.

વક્તાઓમાં અમિતભાઇ દેસાઈ દ્વારા (આર્ટ ઓફ લિવિંગ) વિષય :- યોગ અને શિક્ષક (યોગી શિક્ષક) ની માહિતી આપવાની આવી તેમજ વન્યાબેન પરમારે (વિદ્યાભારતી) શિક્ષણમાં પ્રવૃત્તિ અને પ્રયોગો વિશે ઊંડાણ પૂર્વક વિચારો રજૂ કર્યા સાથે સાથે ઘનશ્યામભાઈ ડાંગર (પુસ્તક મિત્ર) શિક્ષક – પ્રવાસ, વાંચન અને અધ્યાત્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા

અંતિમ દિવસે ડો.સતિષભાઈ પટેલ (Child psychologist) “એકડે એક થી પેરેન્ટિંગ’ – પુસ્તકનો અમલ કઈ રીતે ? How can teachers help in parenting? વિશે અદ્ભુત વાત કરી અને શાળા hr પ્રાથમિક વિભાગ ના પ્રિન્સીપાલ વિવેકભાઈ શુકલ (સંસ્કૃતજ્ઞ) શિક્ષક માટે અનિવાર્ય – ભાષાશુદ્ધિની ખૂબ જ ઉપયોગી સમજૂતી આપી હતી

શાળાના તમામ શિક્ષકોએ સંપૂર્ણ હાજરી આપી હતી અને ખૂબ જ રસ દાખવી એક એક માહિતી સમજી બાળકોમાં કેવી રીતે તેનું અમલીકરણ કરી શકાય તેનું વિશ્લેષણ કરી આ પ્રશિક્ષણને સફળ બનાવ્યો હતો.