મોરબી : શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું

શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા સમાજ માટે ઘણા સમાજ ઉપયોગી કાર્યક્રમો કરતા હોય છે

ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વસતા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શ્રી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતીનું મકાન ખાતે ફૂલસ્કેપ નોટબુક (ચોપડાં)નું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું. જે પ્રમુખ ગિરિજાશંકર કે. વ્યાસ (વ્યાસબાપા)ની યાદીમાં જણાવેલ છે.