ટંકારના નસીતપર ગામે ફેક્ટરીમાં ગળાફાંસો ખાઈ શ્રમિકનો આપઘાત

ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં નીલકંઠ ઇન્ટિરિયસ ફેકટરીમાં કામ ક૨તા અને લેબર કવાટર્સમાં રહેતા મૂળ પોરબંદરના ખાંભોદર ગામના વતની હિરેન ભરતભાઈ રાઠોડ (ઉ.વ.19) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.