ખેતીવાડી ખાતાની યોજનાઓ અન્વયે નિદર્શન હેઠળના ઘટકો માટે ૧ જુલાઈ સુધી આઈ-ખેડુત પોર્ટલ શરૂ રહેશે

રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ‌૧૮-૦૬-૨૦૨૫ થી તારીખ ‌૦૧-૦૭-૨૦૨૫ (૧૪ દિવસ) સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.

જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએઆ નિદર્શન ઘટકોમાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.