મોરબી: સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ યોગ દિનની ગરિમામય ઉજવણી

મોરબી, યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે, આપણા ઋષિ-મુનિઓ ધ્યાન અને યોગ દ્વારા નિરોગી રહેતા હતા, સાંપ્રત સમયમાં યોગ અને ધ્યાનની અતિ આવશ્યકતા હોય, સમગ્ર વિશ્વમાં 21,જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એસ.એસ.વાય પરિવાર -મોરબી દ્વારા સ્વમીનારાયણ મંદિર જીઆઈડીસી, મોરબી ખાતે વહેલી સવારે વિશ્વ યોગ દિન નિમિત્તે આયુષ મંત્રાલયના પ્રોટોકોલ મુજબના યોગાસનો તેમજ એસએસવાયના પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિનની ગરિમામય ઉજવણી કરવામાં આવી

યોગદિનની ઉજવણીમાં શાસ્ત્રી સ્વામી તેમજ નવનીતભાઈ કુંડારિયા, અંબારામભાઈ કવાડિયા, સંસ્કાર બ્લડ બેંકના રમેશભાઈ માકાસણા તેમજ ખુબજ મોટી સંખ્યામાં સાધકો અને હરિભક્તો જોડાયા હતા.