મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન સેલ (MIC), AICTE તથા શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ & કોમ્પ્યુટર સાયન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ૩ જુલાઈ ૨૦૨૫ દરમિયાન મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાની IIC જાગૃતિ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંતર્ગત ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આયોજક સંસ્થા તરીકે જવાબદારી નિભાવી હતી.





આ કાર્યક્રમમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન પ્રસાદભાઈ ગોરીયા કોલેજના ડાયરેક્ટર ડો રમેશ કૈલા અમદાવાદ ઇનોવેશન કાઉન્સિલિંગ આઈ પી કોમર્શિયલ ટ્રાન્સફર મેનેજર શ્રી શ્યામ સુંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઈક્યુબ સેન્ટરના સીઈઓ પાર્થ શેજપાલ અમદાવાદ ઇનોવેશન કાઉન્સિલિંગ સેલના કોર્ડીનેટર મિતેશ વાઢેર અને મારવાડી યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં ઇનોવેશન ઇન્સ્ટિટયૂટ કાઉન્સિલિંગ દ્વારા પેટર્ન ડિઝાઇન કઈ રીતે રજીસ્ટર કરવું અને વિદ્યાર્થીઓને કઈ રીતે માહિતગાર કરવા સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે તેનું સચોટ માર્ગદર્શન શ્રી મિતેશભાઇ વાઢેરે આપેલું હતું
સેશન 2 મારવાડી યુનિવર્સિટીના આઇઆઇસી વાઈસ પ્રેસિડેન્ટ કોલેજે કઈ કઈ ઇવેન્ટ કરવી તેનું એન્ટરપ્રિન્ટ માટેનું માર્ગદર્શન એક્સપર્ટો ટોક વિદ્યાર્થીઓને એન્ટરપ્રિન્યોરશિપ માટેના પ્રોગ્રામો અને તેનું રિપોર્ટિંગ વિશેની સુંદર માહિતી આપેલ હતી ત્રીજા સેશનમાં શ્રી સાઈ સુંદર સરે સમગ્ર ભારતમાં ઇનોવેશન સેલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા કઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે વિદ્યાર્થીની પેટર્ન અને ફેકલ્ટી ની પેટન કઈ રીતે કોમર્શિયલાઈઝ કરવામાં આવે સ્ટાર્ટઅપ માટેના સ્ટેપ તેમજ વિદ્યાર્થીઓ સુધી સચોટ માહિતી કઈ રીતે આપી શકાય તેનું સુંદર માર્ગદર્શન આપેલું હતું
કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇક્યુબ સેન્ટરના ceo શ્રી પાર્થ ભાઈ સેજપાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં ચાલતા પ્રોગ્રામ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એફડીપી તેમજ દરેક કોલેજને આઇઆઇસી નું રિપોર્ટિંગ કઈ રીતે કરવું તેની સમગ્ર માહિતી આપેલ હતી
આ સમગ્ર આયોજન કાર્યક્રમનું સંચાલન આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો હિરેન મહેતા કરેલ હતું
