વર્ષાઋતુમાં જરૂરતમંદ લોકોને ગરમા ગરમ ભજીયા જમાડ્યા.
ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સરકારી રેનબસેરામાં રહેલા આશરે ૧૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ વરસાદની મોસમમાં ગરમા ગરમ ભજીયા જમાડી કંઈક અલગ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.





વરસતો વરસાદ હોય ત્યારે ભજીયા કોને ન યાદ આવે? કોને ખાવાનું મન ન થાય? પણ બધા એ ઈચ્છા પુરી કરવા સક્ષમ ન હોય તેથી જ તેવા જરૂરતમંદ લોકો માટે આ આયોજન જ ઘડી કાઢવામાં આવ્યુ હતુ
આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન કરવા પાછળ સંસ્થાના તમામ સભ્યોનો સહકાર અને દાતા મિત્રોના આશીર્વાદ પણ મળ્યા હતા. આગામી સમયમાં પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી અનેક પ્રકારના સેવાપ્રકલ્પો યોજવા કટ્ટીબદ્ધ છે.
