મોરબી જલારામ ધામ ખાતે કાનાબાર પરિવારના દિવંગતોના આત્માના શાંતિ અર્થે પુષ્પાંજલિ તથા મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબી રઘુવંશી યુવક મંડળના અગ્રણી સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, સ્વ.વર્ષાબેન હરેશભાઈ કાનાબાર તથા સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબાર નું દુઃખદ અવસાન તા.૬-૮-૨૦૨૪ મંગળવાર ના રોજ થયુ હતુ, તેમના આત્મા ના શાંતિ અર્થે મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા તા.૬-૮-૨૦૨૫ બુધવાર ના રોજ બપોરે ૧૨ કલાકે જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સદ્ગત ને સાર્થક શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, અનોપસિંહ જાડેજા, લલીતભાઈ ચંદારાણા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, અનિલભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, જીતુભાઈ ડાયાભાઈ સોમૈયા, ગીતાબેન વનેચંદભાઈ સોમૈયા, શિલ્પાબેન જીજ્ઞેશભાઈ સોમૈયા, કાર્તિકભાઈ જીજ્ઞેશભાઈ સોમૈયા, ગીતાબેન મહેશભાઈ કારીયા સહીતના અગ્રણીઓને પુષ્પાંજલિ અર્પણ કરી, પોતાના વરદ્હસ્તે પ્રસાદ વિતરણ કરી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.