ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાય

ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ભારત દેશના સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી. ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના મંત્રી અને ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના વહીવટદાર કે. આર. ચાવડા ના વરદ હસ્તે ભારત દેશની આનબાન અને શાન એવા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને ફરકાવવામાં આવ્યો.

તેમજ રાષ્ટ્રીય ગાન ગાય તમામના મોઢા મીઠા કરાવવામાં આવ્યા આ શુભ પ્રસંગે શાળા કર્મચારી ગણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહેલ.