મોરબીના ગોર ખીજડીયા ગામ પાસેથી પસાર થતી અને આગળ જઈને મચ્છુ-3ને મળતી ધુતારી નદીના પુલ પાસે નદીમાં અનેક માછલાના મોત થયાનું સામે આવ્યું છે. પાણીમાં કોઈ કારણોસર માછલાના મોત થતાં ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગોર ખીજડીયા ગામના સરપંચને જાણ થતાં તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા.






