મંત્રી બ્રિજેશભાઈ મેરજા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તારીખ ૧૯/૩/૨૦૨૨ શનિવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે

મંત્રીશ્રીના કાર્યક્રમ અનુસાર તારીખ ૧૯/૩/૨૦૨૨ શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે સુજલામ સુફલામ વેજલપર માળીયા(મી.) ખાતે આગમન અને ૧૧:૦૦ કલાકે જિલ્લા આયોજન મંડળી બેઠક ૧૨:૦૦ કલાકે તેમજ મોરબી-માળીયા તાલુકા એટીવીટી આયોજન બેઠક તથા ૧૨:૩૦ કલાકે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક કલેકટર કચેરી સભાખંડમાં ઉપસ્થિત રહી અનુકૂળતા અનુસાર જામનગર જવા રવાના થશે.