મોરબી માર્કેટિંગ યાર્ડમાં હરાજી 3 એપ્રિલ સુધી બંધ રહેશે

મોરબી માર્કેટિંગ યાર્ડ માં માર્ચ એન્ડિંગ હોવાથી વેપારીઓએ હિસાબ કરવાના હોવાથી તારીખ 26-3-22 થી તારીખ 3-4-2022 સુધી વિભાગમાં રજા જાહેર લરવામાં આવેલ છે તેથી માલની આવક જાવક તથા હરરાજી બંધ રહેશે

એજન્ટ તથા ખેડૂતો વેપારીઓ ને જણાવવાનું કે તારીખ 25-3-2022 શુક્રવારને સવારના 10 વાગ્યા સુધી માલની ઉતારઈ કરવામાં દેવામાં આવશે, તારીખ 26-3-2022 ને શનિવારના રોજ પેન્ડિંગ માલની હરરાજી કરવામાં આવશે, તારીખ 3-4-2022 રવિવારના બપોરના 3:00 કલાકથી માલની ઉતરાઈ કરવામાં દેવામાં આવશે અને તારીખ 4-4-2022 ને સોમવારના રોજ ખેડૂતોની જણાસોની રાબેતા મુજબ હરાજી કરવામાં આવશે જેની સર્વે ખેડૂતો વેપારીઓ અને એજન્ટોએ નોંધ લેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી ની એક યાદીમાં જણાવ્યું છે.