મોરબી : માતૃભૂમિ વંદનાં ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રભક્તિનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદોની યાદમાં એક શામ અમર જવાનો  કે નામ કાર્યક્રમ તારીખ 23-3-2022 થી તારીખ 27/ 3/ 2022 સુધી ઇન્ડિયા સે ભારત કી ઓર રાષ્ટ્રકથા નું મોરબીના વિવિધ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે

તારીખ 23 ના રોજ ગ્રીનસીટી, રામકો બંગલો સામે, કેનાલ રોડ, તારીખ 24 ના રોજ કાશી વિશ્વનાથ મંદિર, આલાપ પાર્ક, તારીખ 25ના રોજ સાર્વજનિક પ્લો,ટ સોમનાથ સોસાયટી, જુના ડાયમંડ હોલ પાછળ, તારીખ 26 ના મહાદેવ પાનની બાજુનું  મેદાન, શ્રીમદ રાજ તથા રાજનગર સોસાયટી, પંચાસર રોડ અને તારીખ 27 માર્ચ રવિવારે ગરબી મંડળ ચોક, સુભાષ નગર સોસાયટી ખાતે રોજ રાત્રે 9 કલાકે

5 દિવસ સુધી વિશ્વવિખ્યાત અંજલીબેન આર્યના કોકિલ કંઠે થી રાષ્ટ્રભક્તિના ગીત-સંગીતનો કાર્યક્રમ તથા રાષ્ટ્રકથા ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સર્વે રાષ્ટ્ર પ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.