શ્રી સત્ય સાંઈ વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

પીપળીયા ચાર રસ્તા આવેલ શ્રી સત્ય સાંઈ વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયેલ. આ પ્રસંગે શાળા ના પ્રિન્સીપાલ મતી વર્ષા મેડમે વિદ્યાર્થીઓ ને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપેલ તેમજ શાળા ના શિક્ષક મિત્રો, સુમરા સૈલાબ સર, અલારખા સર, દિવ્યેશ સર, ભાવેશ સર, જયદીપ સર, પ્રદીપ સર, એ વિદ્યાથીઓ ને માર્ગદર્શન આપ્યું. તેમજ વિદ્યાથીઓ એ પોતાના અનુભવો શેર કરેલ.

જેમાં ખાસ તો સુમરા સૈલાબ સર દ્વારા પરીક્ષા ને લઈ ને મૂંઝવણ બાબત માં તેમજ પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી કેવી રણનીતિ અપનાવવી તે બાબત માં મોટીવેશન પૂરું પાડેલ. અને વિદ્યાથીઓ માં જુસ્સો ભરેલ