મોરબી શહેરના વિવિધ પ્રશ્નો અંગે રાજ્યમંત્રીની મુલાકાત લેતા અગ્રણીઓ

ગાંધીનગર ખાતે મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઇ કંઝારિયા તેમજ ઉદ્યોગપતિ ગણેશભાઈ ડાભીની આગેવાની હેઠળ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર અને મોરબી નગર પાલિકાના ચેરમેનઓ, કાઉન્સિલરો, મોરબી શહેરના સતવારા(દલવાડી) સમાજના આગેવાનોએ મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને મોરબી માળીયાના ધારાસભ્ય અને ગુજરત રાજ્ય સરકારના મંત્રી બ્રીજેશભાઈ મેરજાની મુલાકાત ગુજરાત વિધાનસભા ખાતે કરી હતી

પ્રશ્નનો સાંભળી વહેલી તકે આ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે મંત્રી બ્રીજેશભાઈ દ્વારા તત્કાલ ફોન કરી સૂચન કરવામાં આવ્યું હતું. બ્રીજેશભાઈ દ્વારા હકારાત્મક વલણ અપનાવી યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી અને સાથે વિધાનસભા ગૃહમાં અંદર જઇને ચાલુ સત્ર જોવાનો અને સાંભળવાનો મોકો મળ્યો હતો.

આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી જિલ્લાના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, અશ્વિનભાઈ, તપનભાઈ હાજર રહ્યા હતા