મોરબી : ધરમપુર, ટીમ્બડી સહિતના ગામોમાં મેલેરિયા સર્વે કામગીરી કરવામાં આવી

મયંક દેવમુરારી દ્વારા : મચ્છર જન્ય રોગો અટકાવામાં માટે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની સૂચનાથી ડો. જે એમ કતીરા એપેડેમિક ડો. ચેતન વારેવાડીયા ખાખરાળા પીએચસી ડો. સંજય જીવાણીના માર્ગદર્શન હેઠળ સુપર વાઈજર કેકે કાલરીયા સીએચઓ છાયાબેન નિમાવત, એફએચડબ્લ્યૂ ક્રિષ્નાબેન, પ્રકાશભાઈ, આશા વર્કર બહેનો જોશ્નાબેન દેવમુરારી, દક્ષાબેન, સુમિતાબેન સહિતના મચ્છર જન્ય રોગો અટકાવા માટે સઘન નિરીક્ષણ કરી વધારાના પાણી ભરાયા હોય તેવી જગ્યાએ દવાઓનો છંટકાવ કરી મેલેરિયા સર્વે કામગીરીમાં જોડાયા હતા