હળવદ : આમ આદમી પાર્ટી દ્વારા શહેરની અંદર વિજય તિરંગા યાત્રા યોજાઈ

વિશાલ જયસ્વાલ દ્વારા : પંજાબ ની અંદર આમ આદમી પાર્ટી ની જંગી બહુમતી થી સરકાર બની ત્યારબાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ માં યોજાવાની છે ત્યારે પંજાબની ચૂંટણીનો જીત નો જશ્ન તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કાર્યશૈલીથી ગુજરાતની અંદર આવનારી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં પોતાનું રાજકીય વર્ચસ્વ ને મજબૂત કરવા તેમજ આમ આદમી ની ગુજરાત મા સરકાર બનાવવા માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા તેમજ તાલુકા લેવલે તિરંગા યાત્રા કાઢી પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે

ત્યારે હળવદ મા પણ ખુબ ઉત્સાહથી વિજય તિરંગા યાત્રા કાઢવા મા આવી જેમાં મોટી સંખ્યામાં જિલ્લા હોદ્દેદારો તાલુકાના હોદ્દેદારો તેમજ ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ યાત્રા શરૂ ચોકડી થી સરા ચોકડી થી શરૂ કરી હળવદ બાબા આંબેડકર સાહેબના સર્કલ પાસે હાર પહેરાવી પૂર્ણાહુતિ કરી હતી

મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયા, જિલ્લા મહામંત્રી જશવંતભાઈ કાગથરા, ભવદીપસિંહ, ચેતનભાઈ, જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ હાજર રહિયા હતા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ, શંકરભાઈ , દેવરાજભાઈ, ખુમાનસિંહ, લક્ષ્મણભાઈ, રમેશભાઈ, બાબુભાઈ સહિતના કાર્યકર્તાઓ કાર્યક્રમ ને સફળ બનાવવા ની જહેમત ઉઠાવી હતી