મોરબીમાં નિવાસી તાલીમ વર્ગ યોજવા માંગતી સંસ્થાઓએ રોજગાર કચેરીનો સંપર્ક કરવો

જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા આગામી જુલાઈ-૨૦૨૪ માસમાં 30 દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરેલ છે.

આ નિવાસી તાલીમ માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, રસોડુ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક/સામાજિક સંસ્થાની જરૂરીયાત હોય જેના માટે રસ ધરાવતી શૈક્ષણિક/સામજિક સંસ્થાઓએ દિન-૫(પાંચ)માં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.