વાંકાનેર : જુગાર રમતા નવ લોકો ઝડપાયા

મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નાબુદ કરવા સુચના થઇ આવેલ હોય તથા વાંકાનેર પોલીસને મળેલ ખાનગી હકીકત આધારે ભલગામની સીમ, રાજકોટ-અમદાવાદ ને.હા.રોડ ઉપર આવેલ ૬૬ કે.વી સબ સ્ટેશનમાં આરોપી નં(૧) તથા (ર) ના કબજા ભોગવટાના કવાટર્સમાં નીચે જણાવેલ આરોપીઓએ ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/-તથા રોકડ રૂપીયા ૩૪૫૦૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી નં(ર)થી (૧૦) હાજર મળી આવતા તથા આરોપી નં(૧) હાજર નહી મળી આવેલ જેથી જુગારધારા મુજબનો ગુન્હો રજી.કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીઓ (૧) ચાપરાજભાઇ જોરૂભાઇ વેગડ (ર) મુકેશભાઇ પ્રભુભાઇ સરવૈયા (૩) મયુરસીંહ જટુભા જાડેજા (૪) ભરતભાઇ બેચરભાઇ જોલાપરા (૫) મહેશભાઇ કરશનભાઇ ચાવડા (૬) ક્રીપાલસીંહ બાબુભા જાડેજા (૭) દીનેશભાઇ ભગવાનજીભાઇ ધોળકીયા (૮) પ્રવીણભાઇ ભાણજીભાઇ કુણપરા (૯) મયુરભાઇ હેમતભાઇ સોલંકી (૧૦) જયેશભાઇ રામભાઇ મઢવી

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી  પી.જી.પનારા આઇ/સી પો.સબ.ઇન્સ.વાંકાનેર તાલુકા પો.હેડ.કોન્સ મયુરધ્વજસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ.હરીચન્દ્રસિંહ ઝાલા તથા મુકેશભાઇ જીલરીયા તથા સંજયસિંહ જાડેજા રોકાયેલ હતા.