નાની વાવડી : શ્રી યદુનંદન ગ્રુપ દ્વારા દશામાંના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.હજારોની સંખ્યામાં ભાવિકો ઠેર ઠેર શહેર તેમજ ગામડાઓમાંથી આવતા હોય છે.ત્યારે શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડીના મેમ્બર દ્વારકેશભાઈ કુંભરવાડીયા સાથે વાત કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકોની આસ્થા અને આરાધનાને ધ્યાને લઈ દૂર દૂરથી ચાલીને આવતા પદયાત્રીઓના આરામ માટે તેમજ નાસ્તા માટે શ્રી યદુનંદન ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.