મોરબી રિલીફ કમિટી દ્વારા મનસુરી પીંજારા સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ધોરણ-5 થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવેલ જેમાં રિલીફ કમિટી ના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવેલ ડો. મનસુરભાઈ હાજી ઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર) તેમજ હાજી સલીમભાઈ હસનભાઈ હેરંજા (PSI) તેમજ ડો સુહાનાબેન ફિરોઝભાઈ કડીવાર દરેક મહાનુભાવોએ હાજરી આપી શિક્ષણ વિસે માહિતગાર કરેલ તેમજ મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયા ને વિદ્યાર્થી સન્માન સમારોહ ના અધ્યક્ષ સ્થાન આપી તેમનું સન્માન કરેલ આ તકે પ્રમુખ દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ

આ રીતે રિલીફ કમિટી ના દરેક સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજ ના આગેવાનોએ સાથે મળી વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવેલ આ તકે આમંત્રિત મહેમાનો તેમજ તમામ આગેવાનો શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ તમામ સખી દાતાઓની આભારવિધી રિલીફ કમિટી ના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કરવામાં આવેલ.