શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો જમાડાયો

મોરબી સિવિલ હોસ્પીટલ માં મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવાનો સેવાયજ્ઞ અવિરત ચાલુ.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેર ની સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતા માતાઓને દોશી પરીવાર ના સહયોગથી ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવી રહ્યો છે. આ સેવાકાર્ય અવિરતપણે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના બહેનો દ્વારા પ્રદાન કરવામાં આવી રહ્યુ છે.