મોરબીની સરકારી શાળાઓમાં લખપતિ દીદીઓ દ્વારા લખપતિ દીદી યોજના વિશે બાળકોને માહિતી અપાઈ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન અનુસાર મોરબી જિલ્લાની 25 ગામોની સરકારી શાળાઓમાં લખપતિ દીદી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર 25 લખપતિ દીદીઓ દ્વારા લખપતિ દીદી યોજના વિશે સર્વે બાળકોને માહિતી આપવામાં આવી હતી.

આ સંવાદ સત્ર દરમિયાન સંલગ્ન શાળાઓના આચાર્યઓ, શિક્ષક મિત્રો તેમજ બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.