મોરબી આહીર સેના દ્વારા શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરાયું

આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં ભવ્ય સફળતા મળ્યા બાદ આહીર સેના મોરબી જીલ્લા દ્વારા તારીખ ૧૭-૧૦-૨૦૨૪ ને ગુરુવારે શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આહિરાણી મહારાસ દ્વારા વિશ્વ લેવલે પ્રસિદ્ધિ મેળવેલ મહારાસ સોંગના સિંગર ભાવેશ રામ આહીર, જાહલબેન આહીર તથા રવિ આહીર{બિરાદર} વગેરે કલાકાર રમઝટ બોલાવશે.આ આયોજન આહીર સમાજ માટે આવકાર્ય છે.આહીર સમાજના ભાઈઓ તથા બહેનોને પરંપરાગત પહેરવેશ સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.