મોરબી : રક્તદાન કરીને પૌત્રના જન્મદિવસની ઉજવણી કરતા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ

રક્તદાન એ જ મહાદાન એ યુક્તિ ને સાર્થક કરવા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવા એ પોતાના પૌત્ર મંત્રના જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં જાતે જઈને 48 મી વખત રક્તદાન કરી ધન્યતા અનુભવી.

તેઓએ જણાવ્યું કે હું નિયમિત રક્તદાન કરું છું. મને કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ થતી નથી. જેથી સમાજમાં રહેતા અમૂલ્ય લોકોની મહામુલી જિંદગી બચાવવા દરેક નવયુવાનો એ રક્તદાન કરવા આગળ આવવું જોઈએ અને રક્તદાન એ જ મહાદાન એ યુક્તિ ને સાર્થક કરવી જોઈએ. તેમનો એક સંકલ્પ છે કે એકાવન વખત રક્તદાન કરશે.