મોરબી નવા બસ સ્ટેશન ખાતે શ્રી અંબાજી માઁ મંદિર નો પ્રથમ પાટોત્સવ ત્રિવિધ કાર્યક્રમો સહ ઉજવાયો

એસ.ટી. મોરબી ડેપો ના છેલ્લા ૨૫ વર્ષ માં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓ ઉપસ્થિતી માં પ્રવર્તમાન કર્મચારીઓ દ્વારા સવિશેષ આયોજન

એસ.ટી. વિભાગ-મોરબી ડેપો દ્વારા મોરબી નવા બસસ્ટેશન સ્થિત શ્રી અંબાજી માઁ મંદિર નો પ્રથમ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ત્રિવિધ કાર્યક્રમો સહ ઉજવવા માં આવ્યો હતો. જે અંતર્ગત મહાયજ્ઞ, મહાઆરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યુ હતુ. મોરબી એસ.ટી. વિભાગ ના છેલ્લા ૨૫ વર્ષ માં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓની ઉપસ્થિતી માં મંદિર નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આયોજન ને સફળ બનાવવા મોરબી એસ.ટી. ડેપો મેનેજર અનિલભાઈ પઢારીયા, મોરબી એસ.ટી. ડેપો ટી.સી. ડી.એન.ઝાલા , યોગેશભાઈ જાની સહીત ના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.