મોરબી : યુવરાજસિંહ પર થયેલા અન્યાય સામે કલેકટરને આવેદનપત્ર

લાખો વિધ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ ભાજપ સરકાર ના પેપર કાંડ ને ઉજાગર કરતા વિધ્યાર્થી નેતા યુવરાજસિંહજી વિરુદ્ધ ખોટાં કેસમાં જેલમાં પૂરી દેવા બાબતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ અને મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને યુવરાજસિંહ ના સમર્થનમાં ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા

જેમાં મોરબી જિલ્લા ટીમમાંથી મોરબી જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા તથા મોરબી તાલુકા ટીમ માથી મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા તથા મોરબી શહેર યુવા ટીમ માથી મોરબી શહેર યુવા ઉપપ્રમુખ વિશ્વજીતસીહ જાડેજા, મોરબી શહેર યુવા ઉપપ્રમુખ કિશનભાઈ ઠક્કર, વિશ્વાસભાઈ મોરબી શહેર યુવા મંત્રી હાજર રહ્યા હતા.