મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે શ્રમદાન અભિયાનનું આયોજન કરાશે

સફાઈ અભિયાનમાં મોરબી શહેરના નાગરિકોને ભાગ લેવા અનુરોધ કરાયો

મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તારીખ ૧૩/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધી શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે

આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં મોરબી શહેરના લોકોનો સહકાર પણ જરૂરી છે. મોરબી શહેરની સામાજિક, ધાર્મિક, બિન સહકારી સંસ્થાઓ તેમજ તમામ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.